યાત્રાની રૂપરેખા
૧. કલકત્તા : પ્રારંભ સ્થળ, સંપ્રતિ કાલીન શ્રી મહાવીર પ્રભુની દિવ્ય પ્રતિમા
૨. બર્ધ - સાત દેઉલ મંદિર, બર્દમાન – બંગાળ: પ્રભુની પ્રથમ ચાતુર્માસ ભૂમિ શૂલપાણિ ઉપસર્ગ ભૂમિ
૩. કોપાઈ નદી - સોનાઝૂરી વન, બિરભૂમ – બંગાળ: જ્યાં પ્રભુએ અર્ધ દેવદૂષ્યનો ત્યાગ કર્યો હતો
૪. સૈંથિયા, બિરભૂમ: પ્રભુના સમયની શ્વેતામ્બિકા નગરી
૫. જોગી પહાડી (ઉષકા), બિરભૂમ– બંગાળ: ચંડકૌશિક પ્રતિબોધ ભૂમિ
૬. અમુઆ, બિરભૂમ– બંગાળ: જ્યાં પ્રદેશી રાજાએ પ્રભુનું સ્વાગત કર્યું હતું
૭. મસંજોર, દુમકા– ઝારખંડ: પ્રભુના સમયની સુવર્ણબાલુકા નદી (મયૂરાક્ષી)
૮. દેવઘર, ઝારખંડ : સંશોધકોની માન્યતા મુજબ "મોરક સંનિવેશ" (પ્રભુના પ્રથમ ચાતુર્માસના પ્રથમ પંદર દિવસ) નું વર્તમાન સ્થળ
૯. ચંપાપુરી, ભાગલપુર, બિહાર : દાદા શ્રી વાસુપૂજ્યસ્વામીનાં પાંચ-પાંચ કલ્યાણકોનું ધામ તથા પરમાત્મા શ્રી મહાવીરસ્વામીનાં બે ચાતુર્માસની ભૂમિ
૧૦. નાથનગર, ભાગલપુર – બિહાર: બાબુશ્રી સુખસંપતરાય દ્વારા બંધાવેલું શ્વેતાંબરોનું એક ભવ્ય કાચ મંદિર
૧૧. લછવાળ, જમુઈ– બિહાર : ક્ષત્રિયકુંડ પર્વતની તળેટી
૧૨. ક્ષત્રિયકુંડ પર્વત : શ્વેતાંબર માન્યતા મુજબ પ્રભુ શ્રી મહાવીરની ચ્યવન-જન્મ-દીક્ષા ભૂમિ
૧૩. કાકંદી, જમુઈ– બિહાર : શ્રી સુવિધિનાથ પ્રભુના ચાર કલ્યાણકની ભૂમિ તથા પ્રભુ શ્રી મહાવીરની દેશના ભૂમિ
૧૪. પટના સાહેબ, બિહાર : પ્રભુની સંભવિત વિહાર ભૂમિ
૧૫. કમલદહ, ગુલઝારબાઘ : આચાર્ય શ્રી સ્થુલિભદ્રની સાધના ભૂમિ
૧૬. બૌના પોખર, વૈશાલી – બિહાર : ક્ષત્રિયાણી ત્રિશલાની જન્મભૂમિ તથા પ્રભુ શ્રી વીરની ૧૩ ચાતુર્માસ ભૂમિ
૧૭. કોલહુઆ, વૈશાલી – બિહાર: દીક્ષા પછીના પ્રથમ છટ્ઠનું પારણું તથા દ્વિતીય ચાતુર્માસ પછી કરેલ ચોથા માસક્ષમણનું પારણું (સંશોધક માન્યતા પ્રમાણે)
૧૮. બાસુકુંડ, વૈશાલી – બિહાર : દિગંબર માન્યતા મુજબ પ્રભુ શ્રી મહાવીરની ચ્યવન-જન્મ-દીક્ષા ભૂમિ
૧૯. સીતામઢી, બિહાર : પ્રભુશ્રી વીરની ૬ ચાતુર્માસ ભૂમિ ; શ્રી મલ્લિનાથ તથા શ્રી નમિનાથ ભગવાન ની ૪ કલ્યાણક ભૂમિ
૨૦. બરાબર ગુફા, સુલતાનપુર બિહાર : આજીવકોની પ્રાચીન ગુફાઓ
૨૧. બોધ ગયા, બિહાર : ગૌતમ બુદ્ધના સર્વજ્ઞાન ઉત્પન્નની ભૂમિ
૨૨. ભોંડલ, ઝારખંડ : પ્રભુની પાંચમી તથા છઠ્ઠી ચાતુર્માસ ભૂમિ; શ્રી શીતલનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ.
૨૩. જરૈયા, હઝારીબાઘ - ઝારખંડ : સંશોધકોની માન્યતા મુજબ જ્યાં પ્રભુને કાનમાં ખિલ્લા ઠોક્યાંનો ઉપસર્ગ થયો હતો
૨૪. ઋજુવાલિકા, ગિરિડીહ – ઝારખંડ: શ્વેતાંમ્બર માન્યતા મુજબ પ્રભુ શ્રી મહાવીરની કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ
૨૫. મધુબન , શિખરજી – ઝારખંડ - ૨૦ તીર્થંકરોની નિર્વાણ ભૂમિ
Comments
Post a Comment