Posts

પ્રભુ તમારા પગલે પગલે

Image
જ્યાં પ્રભુના વિહાર થયા. જ્યાં પ્રભુ વીર પર ઉપસર્ગો થયા. જ્યાં પ્રભુના અંતિમ ચરણો પડ્યા. જ્યાં પ્રભુના ચાતુર્માસ - કલ્યાણકો થયા. જ્યાં પ્રભુના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ બની. આવી અલૌકિક ભૂમિઓની યાત્રાના સંસ્મરણો... પ્રભુ તમારા પગલે પગલે પ્રભુ શ્રી મહાવીર સ્વામી દ્વારા સ્થાપેલા શાસનને હજું ૨,૭૦૦ વર્ષ પણ નથી થયા પરંતુ તેમની વિચરણ ભૂમિઓનો આજે મોટ્ટા ભાગે લોપ થયો છે. આ પુસ્તકમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુએ તેમના જીવનકાળમાં જે-જે ભૂમિઓમાં વિચરણ કર્યું હતું તેના વર્તમાન સ્થળોની યાત્રાના સંસ્મરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસ્વી. સન ૨૦૧૮ માં શાસ્ત્રો, પૂજ્ય ગુરુભગવંતો અને ઇતિહાસકારોના સંશોધનોને એકત્રિત કરીને એક અવિસ્મરણીય યાત્રા થઇ જેમાં પ્રભુની ઉપસર્ગ ભૂમિઓ, વિહાર ભૂમિઓ, ચાતુર્માસ ભૂમિઓ, કલ્યાણક ભૂમિઓ તથા તેમના જીવનમાં બનેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની ભૂમિઓના વર્તમાન સ્થળોની સ્પર્શના કરવામાં આવી હતી જેના અનુભવચિત્રો તથા સંપૂર્ણ રિસર્ચનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું ટ્રેલર જોવા નીચે ક્લિક કરો  સાથે-સાથે તે ભૂમિઓમાં જે-જે અદ્ભૂત આલંબનો પ્રાપ્ત થયા તેનો પણ સમાવે...

યાત્રાની રૂપરેખા

Image
૧. કલકત્તા : પ્રારંભ સ્થળ, સંપ્રતિ કાલીન શ્રી મહાવીર પ્રભુની દિવ્ય પ્રતિમા ૨. બર્ધ - સાત દેઉલ મંદિર, બર્દમાન – બંગાળ: પ્રભુની પ્રથમ ચાતુર્માસ ભૂમિ શૂલપાણિ ઉપસર્ગ ભૂમિ ૩. કોપાઈ નદી - સોનાઝૂરી વન, બિરભૂમ – બંગાળ: જ્યાં પ્રભુએ અર્ધ દેવદૂષ્યનો ત્યાગ કર્યો હતો ૪. સૈંથિયા, બિરભૂમ: પ્રભુના સમયની શ્વેતામ્બિકા નગરી ૫. જોગી પહાડી (ઉષકા) , બિરભૂમ– બંગાળ: ચંડકૌશિક પ્રતિબોધ ભૂમિ ૬. અમુઆ, બિરભૂમ– બંગાળ: જ્યાં પ્રદેશી રાજાએ પ્રભુનું સ્વાગત કર્યું હતું ૭. મસંજોર, દુમકા– ઝારખંડ: પ્રભુના સમયની સુવર્ણબાલુકા નદી (મયૂરાક્ષી) ૮. દેવઘર, ઝારખંડ : સંશોધકોની માન્યતા મુજબ "મોરક સંનિવેશ" (પ્રભુના પ્રથમ ચાતુર્માસના પ્રથમ પંદર દિવસ) નું વર્તમાન સ્થળ ૯. ચંપાપુરી, ભાગલપુર, બિહાર : દાદા શ્રી વાસુપૂજ્યસ્વામીનાં પાંચ-પાંચ કલ્યાણકોનું ધામ તથા પરમાત્મા શ્રી મહાવીરસ્વામીનાં બે ચાતુર્માસની ભૂમિ ૧૦. નાથનગર, ભાગલપુર – બિહાર: બાબુશ્રી સુખસંપતરાય દ્વારા બંધાવેલું શ્વેતાંબરોનું એક ભવ્ય કાચ મંદિર ૧૧. લછવાળ, જમુઈ– બિહાર : ક્ષત્રિયકુંડ પર્વતની તળેટી ૧૨. ક્ષત્રિયકુંડ પર્વત : શ્વેતાંબર માન્યતા મુજબ પ્રભુ શ્રી મહાવ...

પૂજ્યોના આશીવર્ચન

Image
પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રાચીન સાહિત્ય સંશોધક  આચાર્ય વિજય શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. પાલીતાણા, ૨૨-૦૧-૨૦૧૯  સુશ્રાવક અર્પિત, મિહિર, રાહુલભાઈ, દેવાંગભાઈ, પ્રિયલબેન, વિશાખાબેન, વિરાલીબેન આદી સર્વે, ધર્મલાભ ! તમારા યાત્રા પ્રવાસના સચિત્ર સંસ્મરણો – “પ્રભુ તમારા પગલે પગલે” વાંચ્યા. પ્રવાસ વર્ણનમાં ઇતિહાસ અને ભક્તિનું સુંદર મિશ્રણ હોય એવો એક અનોખો પ્રયાસ. ખૂબ ખૂબ ધન્યવાદ! ઈન્ટરનેટ વગેરે સાધનો દ્વારા પ્રભુની વિચરણ ભૂમિના વર્તમાનમાં નામાંતર થયેલા સ્થળો શોધી તમે જે પ્રયાસ કર્યો છે તે કાબિલેદાદ છે . આપણા ચાલુ યાત્રા – પ્રવાસમાં ઇતિહાસનું તત્ત્વ તો નહીવત્ છે. યાત્રા પણ ઓછી અને પ્રવાસનુંજ મહત્વ બચ્યું હોય એવી સ્થિતિ છે. તમારા લખાણમાં જોડણીની ભૂલો થોડી છે બાકી લખાણ સુગમ, સરળ અને નેત્રદીપક છે. ફરી ધન્યવાદ! તમારા બીજા પ્રવાસવર્ણનની રાહ જોઈશું. ઇતિહાસ શોધવા તમે નેટ અને પુસ્તકોનો ઉપયોગ કર્યો જ છે. કેટલાક નામ જણાવું છું, જે તમારા ઘ્યાનમાં ન હોય તો લાવશો – ભગવાન મહાવીર એક અનુશીલન – લે. દેવેન્દ્રમુનિ શાસ્ત્રી જૈન તીર્થોકા ઐતિહાસિક અન્વેષણ – ડો. શિવપ્રસાદ ઝવે...