પ્રભુ તમારા પગલે પગલે

જ્યાં પ્રભુના વિહાર થયા. જ્યાં પ્રભુ વીર પર ઉપસર્ગો થયા. જ્યાં પ્રભુના અંતિમ ચરણો પડ્યા. જ્યાં પ્રભુના ચાતુર્માસ - કલ્યાણકો થયા. જ્યાં પ્રભુના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ બની. આવી અલૌકિક ભૂમિઓની યાત્રાના સંસ્મરણો... પ્રભુ તમારા પગલે પગલે પ્રભુ શ્રી મહાવીર સ્વામી દ્વારા સ્થાપેલા શાસનને હજું ૨,૭૦૦ વર્ષ પણ નથી થયા પરંતુ તેમની વિચરણ ભૂમિઓનો આજે મોટ્ટા ભાગે લોપ થયો છે. આ પુસ્તકમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુએ તેમના જીવનકાળમાં જે-જે ભૂમિઓમાં વિચરણ કર્યું હતું તેના વર્તમાન સ્થળોની યાત્રાના સંસ્મરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસ્વી. સન ૨૦૧૮ માં શાસ્ત્રો, પૂજ્ય ગુરુભગવંતો અને ઇતિહાસકારોના સંશોધનોને એકત્રિત કરીને એક અવિસ્મરણીય યાત્રા થઇ જેમાં પ્રભુની ઉપસર્ગ ભૂમિઓ, વિહાર ભૂમિઓ, ચાતુર્માસ ભૂમિઓ, કલ્યાણક ભૂમિઓ તથા તેમના જીવનમાં બનેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની ભૂમિઓના વર્તમાન સ્થળોની સ્પર્શના કરવામાં આવી હતી જેના અનુભવચિત્રો તથા સંપૂર્ણ રિસર્ચનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું ટ્રેલર જોવા નીચે ક્લિક કરો સાથે-સાથે તે ભૂમિઓમાં જે-જે અદ્ભૂત આલંબનો પ્રાપ્ત થયા તેનો પણ સમાવે...