યાત્રા પરિવાર


  • શ્રી અર્પિતભાઈ શાહ : આ પુસ્તકના લેખક, યુવા સંગીતકાર, ઈતિહાસ સંશોધક તથા વિધિકારક, અર્પિતભાઈ , C.S. તથા M.B.A. નો અભ્યાસ કરીને કલકત્તાની એક નામાંકિત કંપનીમાં કાર્યરત છે. તેઓએ ભારતના લગભગ ૪૦૦ જેટલા સ્થળોની યાત્રા કરી છે જેમાંથી અમદાવાદ, સુરત, શિખરજી, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, રાજગીરી, બનારસ, ગંધાર, ઋજુવાલિકા, ચંપાપુરી, ભદ્દીલપુર, પુરિમતાલ, સિંહપુરી, ચંદ્રપુરી આદિ તીર્થો તથા પૂર્વ ભારતના અનેક સ્થળોમાં વિવિક ધાર્મિક અનુષ્ઠાનો પણ કરાવ્યા છે. તેમની વેબસાઈટમાં પ્રકાશિત થનાર લેખોને દેશ વિદેશના લાખો વાચકો માણે છે. તેમની પ્રથમ પુસ્તક ધર્મ સારથી ૨૦૧૮ માં પ્રકાશિત થયેલ છે. તેમના વિષે વધુ જાણવા અહીં ક્લિક કરો 
  • શ્રી મિહિરભાઈ વખારિયા: અમદાવાદમાં રહેનારા તથા હિંમતનગરના વતની, શ્રી મિહિરભાઈ ગુજરાત હાઈ કોર્ટમાં એડવોકેટ છે. તેમની ફોટોગ્રાફીમાં જાદુ છે તથા તેઓ ધ્યાન સાધના-પ્રભુ ભક્તિમાં રસતરબોળ થઈને પ્રભુની નિકટ રહે છે.  આ સંપૂર્ણ યાત્રામાં તેઓ સારથી હતા -બિહાર-બંગાળ અને ઝારખંડના રસ્તાઓમાં દરરોજ ૨૦૦-૩૦૦ કિલોમીટરની લાંબી સફર કરાવી ૨૫ તીર્થ ભૂમિઓની સ્પર્શના કરાવી હતી. તેમને જેટલો પણ થાક લાગ્યો હશે પણ દરેક સ્થળે તેઓએ ગજબની પ્રભુ ભક્તિ કરી બધાનો થાક ઉતારી દેતા. 
  • શ્રી રાહુલભાઈ દોશી - પરમાત્માની વાણીમાં અખંડ શ્રદ્ધા ધરાવનારા, શ્રી રાહુલભાઈ આ યાત્રાના આધાર સ્તંભ છે. મોટો વ્યવસાય હોવા છતાં પ્રભુના કોઈ પણ કાર્ય માટે સદૈવ તત્પર રહે. તેઓ દ્વારા દરરોજની રહેવા-ઉતરવા-જમવાની વ્યવસ્થા; બધાની નાની-નાની જરૂરીયાતો સંભાળવાની કાળજી અને લાગણીભર્યો સ્વભાવ - આ ત્રિવેણી સંગમના કારણે યાત્રા યાદગાર બની ગઈ હતી.
  • શ્રી દેવાંગભાઈ, પ્રિયલબેન તથા ચૈત્યકુમાર શાહ - પ્રભુના ચરણોમાં સમર્પિત આ પરિવારે પ્રભુના પગલે પગલે ચાલવાનું અસલ બીડું ઝડપ્યું છે. તેઓનો શુદ્ધ આચાર પ્રત્યેનો પ્રેમ બધા માટે ઉદાહરણ સ્વરૂપ બની ગયો છે. અમેરિકાની નામાંકિત સોફ્ટવેર કંપનીમાં કાર્યરત શ્રી દેવાંગભાઈ એન્જીનયર છે તથા પ્રિયલબેન કોસ્ટ અકાઉન્ટન્ટ છે.
  • શ્રીમતી વિશાખાબેન શાહ - કલકત્તામાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું અભ્યાસ કરનારા, વિશાખાબેન અર્પિતભાઈના શ્રાવિકા છે, તથા તેમના અમૂલ્ય સહયોગ થકી આ યાત્રાની  રિસર્ચ, પ્લાનિંગ તથા સંસ્મરણો લખવાની પ્રક્રિયા સફળ બની.
  • શ્રીમતી વિરાલીબેન દોશી - સેવાભાવી તથા સરળ સ્વભાવી, વિરાલીબેનના અથાગ પરિશ્રમ થકી આ યાત્રાના સંસ્મરણો પુસ્તક રૂપ પ્રકાશિત થયા છે.

Comments

Popular posts from this blog

પ્રભુ તમારા પગલે પગલે

યાત્રાની રૂપરેખા

પૂજ્યોના આશીવર્ચન